- RBI ને 1000 રૂપિયાની નોટને ફરીથી પાસી લાવવાનો કોઈ ઈરાદો નથી.
- RBI 1000 રૂપિયાની નવી નોટ બનાવવાનું વિચારી રહી નથી.
- RBI એ લોકોને આ અફવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી.
- 2000 રૂપિયાની નોટ પડી હોય તો હજુ પણ બદલાવી શકો છો.
1000 Rupees Note: ભારતીય રિઝર્વ બેંકે રૂપિયા 2000 ની નોટને લઈને સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ, 30મી સપ્ટેમ્બર સુધીમાં 2000 રૂપિયાની 87% નોટો પરત આવી ગઈ છે. તેમ છતાં હજુ પણ આખા બજારમાં 10,000 કરોડ રૂપિયાની નોટો ફરે છે. પછી આરબીઆઈની જાહેરાત બાદ બજારમાં 1000 રૂપિયાની નોટની સંભવિત પુનઃપ્રાપ્તિ અંગેના પ્રશ્નો સોશિયલ મીડિયા પર આવવા લાગ્યા. શું હવે હજાર રૂપિયાની નોટ ફરી એકવાર જોવા મળશે? તે અંગે વાતચીતો ચાલી રહી છે.

1000 Rupees Note
સમાચાર એજન્સીએ X પર જાહેરાત કરી છે કે આરબીઆઈનો 1000 રૂપિયાની નોટને ફરીથી પાસી લાવવાનો કોઈ ઈરાદો નથી અને તે 1000 રૂપિયાની નવી નોટ બનાવવાનું વિચારી રહી નથી.
RBI એ લોકોને આ અફવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે કહ્યું છે કે બજારના રોકડ પ્રવાહને સ્થિર રાખવા માટે સરકારે 500 રૂપિયાની પૂરતી નોટો બનાવી છે. જેથી વ્યક્તિઓને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવાની ફરજ ન પડે! જો કે, ડિજિટલ પેમેન્ટ પદ્ધતિઓ અપનાવવાના પરિણામે ઓછા લોકો રોકડનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી, આરબીઆઈ હાલમાં માને છે કે બજારમાં હજાર રૂપિયાની નોટ દાખલ કરવી જરૂરી નથી. આરબીઆઈએ લોકોને આ અફવાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
2016 માં 1,000 અને 500 ની જૂની નોટો બંધ થઈ હતી
2016 માં જ્યારે કેન્દ્ર સરકારે નોટબંધી લાગુ કરી ત્યારે જૂની 1,000 અને 500 રૂપિયાની નોટો નાબૂદ કરવામાં આવી હતી. અને બે નવી નોટો લાવવામાં આવી હતી જેમાં એક ₹2000ની અને બીજી ₹500ની. ત્યારબાદ સરકારે 2000 રૂપિયાની નોટ પણ પાસી લઈ લીધી છે.
આ પણ વાંચો : વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું નિધન
2000 રૂપિયાની નોટ પડી છે?
તમારી પાસે પણ ભૂલમાં 2000 ની નોટ પડી રહી હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. હાલમાં તમે RBI ઓફિસમાં રૂ. 2000ની નોટ જમા કરાવી શકો છો. દેશમાં આરબીઆઈની કુલ 19 પ્રાદેશિક કચેરીઓ છે જ્યાં પૈકી 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે.
મહત્વની લિંક
વધુ માહિતી માટે WhatsApp ગ્રૂપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
અમને Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |